મણકાની ગાદીની બીમારી હતી
વાંકાનેર: અહીં શહેરના સામા કાંઠે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા મહિલાને મણકાની ગાદીની બીમારી હોય ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.



જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરના સામ કાંઠે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા જશુબેન સુરેશભાઈ કુંઢીયા (ઉ.33) નામના મહિલાને છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની બીમારી હોય એ બીમારીથી કંટાળી જઈ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

