કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરના સરતાનપર નજીક કન્ટેનર હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ  

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર જીજે – 12 – બિટી – 9298 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક મહેશ ગરમસિંહ વીંછીયાભાઈ નામના દાહોદના વતની યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ…

વાંકીયાના તળાવ નજીક વિદેશી દારૂ કબ્જે કરતું પોલીસ ખાતું 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે વાંકીયા ગામે તળાવ નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને 228 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે વાંકીયા ગામના તળાવ…

સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશીનું અવસાન

રાજેશભાઈ ભોગીલાલ દોશીનું તા: 16 ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા: 18-1-2023 ના અપાસરા શેરીમાં સવારે 10 વાગે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. તેઓશ્રી વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હતા.

યુદ્ધે ચડેલા બે આખલા બાઇક સાથે અથડાતાં યુવાનને ઇજા 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા મનુભાઈ નથુભાઈ સોલંકી (ઉ.વ. ૪૮) નામનો યુવાન વાંકાનેરમાં આવેલ દોશી કોલેજ પાસેથી પસાર થતો હતો, ત્યારે રાજકોટ રોડ ઉપર બે આખલા બાખડતા બાખડતા મનુભાઈ સોલંકીના બાઈક સાથે અથડાયા હતા જેથી કરીને…

કેરાળાના માથકીયા વાહિદહુસેનને અને વાંકાનેરના  જિન્નલ ચાવડાને મદદની જરૂર છે

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના માથકીયા વાહિદહુસેન રહીમભાઈનો પગ ટ્રેકટરથી ખેતીકામ કરતા અકસ્માતે ડાબો પગ ગુમાવેલ છે. ઈલાજ માટે ગરીબ આ માણસને 22 લાખ ની જરૂર છે.   વાંકાનેર ખાતે રહેતી ગરીબ બાળકી જીનલ બળદેવભાઇ ચાવડાને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ…

સાવધાન ! વાંકાનેર શહેરમાં બાઈક ચોરો સક્રિય છે

શિયાળાની ઠંડીમાં લોકો રાતના ઘરમાં જ પુરાઈ રહેતા હોય છે. ઠંડીના કારણે બહાર નિકળવાની હિંમત કરતા નથી. શેરીઓ સુમસામ હોય છે આવા સંજોગોમાં બાઈક ચોરોને આસાન મોકો ઉભો થાય છે. થોડા દિવસ અગાઉ ગુલશન પાર્ક મેઈન રોડ પરથી અયુબભાઈ અમીભાઈ ચૌધરીનું બાઈકની…

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે… 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારેે આ તારીખ પહેલા લગ્ન કરનાર…

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)માં આવી 356 જગ્યા માટે ભરતી

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ભારત સરકારની જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, સંસદના અધિનિયમ દ્વારા રચાયેલી છે. નાગરિક ઉડ્ડયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, અપગ્રેડ કરવા, જાળવણી અને વ્યવસ્થાપનની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાં જમીન અને હવાઈ જગ્યા. AAIને મિની રત્ન કેટેગરી-1નો દરજ્જો આપવામાં આવ્યો છે. …

વસુંધરા /લાકડધાર વિસ્તારમાં માટી-રેતીની ખનીજચોરી બદલ કાર્યવાહી

ખાણખનીજ વિભાગ દ્વારા ગત અઠવાડીયામાં વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે થતી મિનરલ તેમજ રેતી ચૉરી સબબ ત્રણ વાહનો જપ્ત કરી આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગત શુક્રવારે વાંકાનેર તાલુકાના વસુંધરા અને લાકડધાર વિસ્તારમાં ગેરકાયદેસર…

દીકરાની સગાઈની ચિંતામાં પિતાએ ગળેફાંસો ખાઈ લીધો 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર ગામે સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા આધેડ યુવાન પુત્રની સગાઈ કરવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પડધરી તાલુકાના તરઘરી ગામના વતની અને હાલમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!