કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ધાર્મિક

ભાટિયા સોસાયટી: શ્રી દેવ દેવેશ્વર મહાદેવ

બાજુમાં આવેલ કૂવામાં નાગને નાગણીનું એક જોડલું પણ રહે છે વાંકાનેર: વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીની પાછળના ભાગે બિરાજમાન શ્રી દેવ દેવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું રાજાશાહી વખતનું…

વાંકાનેરમાં જન્માષ્ટમીએ બે શોભાયાત્રા નીકળશે

ધર્મમાં રાજકારણ ભળ્યું જ ! ! આગેવાનોએ ભગવાનને પણ ન છોડયા, અલગ અલગ બે બેઠક મળી વાંકાનેર: વાંકાનેરમાં સ્થાનિક રાજકારણમાં જૂથવાદ ચાલી રહ્યો છે, તે વધુ એક વાર સપાટી પર આવી ગયો છે અને ધર્મને પણ જાણે રાજકારણનો એરૂ આભડી…

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારો

શ્રાવણમાસ નિમિતે દરરોજ રૂદ્રી તેમજ ભુદેવનો ભંડારો, મહિલા ધૂન મંડળના કાર્યક્રમો વાંકાનેર: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી પૌરાણિક પુ. શ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ શ્રાવણમાસ દરમ્‍યાન આખો મહિનો શ્રી ફળેશ્વર મહાદેવદાદાની વિશેષ…

શ્રી રામેશ્વર મંદિરના નિર્માણનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર-ચોટીલા બાઉન્દ્રી પાસે નિર્માણધીન શ્રી રામધામ ખાતે આગામી તા.21-8-23ને શ્રાવણસુદ પાંચમને શ્રાવણમાસના પ્રથમ સોમવારના રોજ (આજે) શ્રી રામધામ ખાતેના વિશાળ પટાગંણમાં આવેલ શ્રી ઋષિમુનિઓએ જયાં તપસ્યા કરી ચુકયા છે, તે વર્ષો પુરાણું દેવોના દેવ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ર્જીણાધાર…

પીરાણા દરગાહનું નામ બદલતા વિરોધ

વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું…

હસનપર: મીરાં દાતારબાપુના ઉર્ષની ઉજવણી થઇ

વાંકાનેર: તાલુકાના હસનપર ગામના પાધરમાં આવેલ હઝરત મીરાં સૈયદ અલીના દાતારબાપુના ચિલ્લે પહેલા ચાંદે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ- મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. ઊંઝા પાસે આવેલ ઉનાવા ગામે હઝરત મીરાં સૈયદ અલી દાતરબાપુની દરગાહ શરીફ આવેલી છે.…

આગેવાની સંતો-મહંતોની કે ધારાસભ્યની?

શોભાયાત્રા અંગે લોકોમાં દ્વિધા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શોભાયાત્રાના આયોજન અંગે બેઠક મળી વાંકાનેર શહેરના સમસ્ત માલધારી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ આયોજીત જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ભવ્ય આયોજન અંગે શ્રીરામ કોમ્પ્લેક્સ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા માલધારી…

શિવધૂન મંડળ દ્વારા ધર્મરાજાના મંડળનું આયોજન

દિગ્વિજયનગરમાં આવેલ હવેલી ખાતે આયોજન સંપન્ન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર ખાતે આવેલ પ્રસિધ્ધ ઓમકારેશ્વર મહાદેવ તેમજ શનિદેવ મહારાજના પટાંગણમાં આવેલ હવેલી ખાતે તેજ વિસ્તારનું ગોપીમંડળ તેમજ શિવ ધુન મંડળની બહેનો દ્વારા અગિયાર ધાન સાથે 2100 વાટકીઓમાં ગોઠવેલ 10…

કૃષ્ણો જન્મોત્સવની ઉજવણીમાં સંતો-મહંતો અગ્રેસર

કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાની રહેશે ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી વાંકાનેર: થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતા રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર…

પંચાસીયામાં આજે શાને અહલે બયેત કોન્ફરન્સ

સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન – કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઇસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!