કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

રાજ્યના 18,464 ગામોના વાવેતરનો ડિજિટલ સર્વે

સર્વેયર સર્વે કરશે, તલાટી એપ્રુવ કરશે ગાંધીનગર: ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી…

મંગળવારથી મતદાર યાદીનો સુધારણા કાર્યક્રમ

ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા કૃપયા ધ્યાન આપે ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી…

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

પંચાયત કર્મીઓએ સરકાર સામે લડવા બાંયો ચડાવી

પગાર વિસંગતતાને દૂર કરવા માંગણીઓ ઉઠી ગાંધીનગર: રાજ્ય સરકાર અને પંચાયત વિભાગના કર્મચારીઓ માટે અપાતા પગારમાં મોટી વિસંગતતા જે લાંબા સમયથી ચર્ચામાં છે, તે હવે વધુ ઉગ્ર બની છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓ, કે જેમને પગારમાં…

સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રીનોવેશન શરૂ

ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

કલકતા, કોલ્હાપુર, પટનાની ટ્રેનો રાજકોટ સુધી લંબાશે

6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે ! રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી…

જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની

ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…

આવતા મહિનામાં 6 થી 9 તારીખે તરણેતરનો લોકમેળો

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બર થી 9 સપ્‍ટેમ્‍બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઈ હતી.આ…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

Content Copying Forbidden !!

error: Content is protected !!