કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

કોટડાનાયાણીમાં ખેડૂતોને પડયા પર પાટુ

અરણીટીંબા, તીથવા, પીપળીયા રાજ, કલાવડીમાં પણ વરસાદ કોટડાનાયાણીમાં વરસાદનું જોરદાર ઝાપટું, કપાસને નુકસાન વાંકાનેર : સમગ્ર મોરબી જિલ્લામાં ભારે બફારા વચ્ચે આજે સાંજના છ વાગ્યાના અરસામાં વાંકાનેરના કોટડાનાયાણી નજીક જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના કારણે કપાસને નુકસાન થયું છે.…

પાલિકામાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરો

વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને કેટલાક અણીયારા પ્રશ્નો પૂછાયા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક એસ. પટેલ તથા ક્રિપાલસિંહ ડી. ઝાલાએ વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને વાંકાનેર પાલિકા વિસ્‍તારમાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરવા માંગણી કરી છે. રજુઆતમાં જણાવ્‍યું…

તા.પંચા.ની કારોબારી સમિતિની રચના થઇ

સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતની સાત સભ્યોની સંખ્યાબળ વાળી કારોબારી સમિતિની રચના થઇ હતી. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યો કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા. આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રીના પ્રમુખસ્થાને સાધારણ સભા મળી…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

મુ.મંત્રી કિસાન સહાય યોજનાની માહિતી મંગાઈ

વાંકાનેર, ટંકારા તાલુકાઓને અનાવૃષ્ટી અસરગ્રસ્ત જાહેર કરાવવાની ધારણા વાંકાનેર: માં. યાર્ડના માજી પ્રમુખ શકીલ એહમદ કે. પીરઝાદાએ કલેક્ટરશ્રી પાસે માહિતી માંગી કે એમણે વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ જાહેર કરવા અંગે શું કાર્યવાહી કરી છે? વાધુમાં એમણે જણાવ્યું…

રોગચાળો ફેલાય તેવી નાગરિકોને દહેશત

ચીફ ઓફિસર પ્રજાજનોને ઉઠા ભણાવતા હોય તેવું લાગે છે નવા ફિલ્ટર પ્લાન્ટને તાકિદે શરૂ કરવા પ્રજાજનોમાં ઉઠતી માંગ વાંકાનેર શહેરની એક લાખની જનતાના લમણે ઝીંકાય છે ગંધાતું ગંદું પાણી કેનાલની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી નગરજનોને ડહોળુ પાણી આવે…

વાંકાનેર વિસ્તારના બાગાયતદાર ખેડૂતો જોગ

જડેશ્વર રોડ પરની બાગાયત કચેરીએથી રોપા મળશે સરકારશ્રીના બાગાયત ખાતા હસ્તકની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘર આંગણે તથા બાગાયતી પાકની ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે બીલા, રાયણ, આંબલી, આમળા, જામફળ, કોઠા, ફાલસા, કરમદા, સેતુર…

13 મી એ તા.પંચા.ની સાધારણ સભા

કારોબારી સમિતિની રચના થશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન…

દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ

ઢુવા નજીક સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં અદાલતનો કડક ચુકાદો મોરબી : વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર આરોપીને નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત…

હવે જુવારની નવી જાતમાંથી બનશે ઇથેનોલ

ઇન્દોરના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવા બીજ જુવારની નવી જાતમાંથી હવે ઇથેનોલ તૈયાર કરવામાં આવશે, જેને પેટ્રોલમાં ભેળવીને વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાશે. તેનાથી વાયુ પ્રદૂષણ પર અંકુશ આવશે અને પેટ્રોલ પર નિર્ભરતા ઘટશે. આ ચમત્કાર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીની ઈન્દોર…

Content Copying Forbidden !!

error: Content is protected !!