કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં ગુરુદેવ રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.  આગામી તારીખ 4 માર્ચ ને…

રેલ્વે : વાંકાનેર-બિલેશ્વર સેક્શન ઇલેક્ટ્રીક લોકોમોટિવના ટ્રાયલ રનની સાથે પીસીઈઈ નિરીક્ષણ પૂર્ણ

જી.એસ. ભવરિયા (પીસીઈ)ની મહેનત રંગ લાવી: રેલવે પ્રબંધક અરૂણકુમાર જૈન સહિત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય રેલ્વે નેટવર્ક ઈલેક્ટ્રીકેશન: એક વાર 100 ટકા વિદ્યુતકરણ થઈ જશે પછી, ભારતીય રેલ્વે ભારતીય ઊર્જા ક્ષેત્રમાં એક ગેઇમ ચેન્જર બનવા જઈ રહ્યું છે અને દેશ…

વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લૂંટ કરી ફરાર થયેલો આરોપી 12 વર્ષે ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ ભુરીયા રહે.ઉબેરાવ, જામ્બુઆ,મધ્યપ્રદેશ વાળો હાલમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે હોવાની બાતમીને આધારે ઝડપી…

4 માર્ચ પછી આંધી-પવન સાથે વરસાદ અને કરા પડશે

ગુજરાતના આવી શકે છે વાતાવરણમાં પલટો: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા ૪ થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા પણ હવામાન વિભાગ…

હવે હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી કરી શકાશે ઓનલાઇન

ગુજરાતીઓની મોટી તકલીફ દૂર: મહેસૂલ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, આ સેવા કરી નાખી ઓનલાઈન ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી…

મોરબી જિલ્લામાં યુરિયા ખાતર કારખાનાઓમાં વેચી નાખવાનું જબરૂ કૌભાંડ 

મોરબી જિલ્લામાં કુલ 180 ખાતરના વિક્રેતાઓ છે જેમાંથી વાંકાનેરમાં 40 છે ખેડૂતોને રૂ.270ના સબસીડી ભાવે વેચવાના યુરિયા ખાતરના ખુલ્લા બજારમાં 2200થી વધુ ભાવ : લેમિનેટ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે ડિમાન્ડ  મોરબી જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોને રાહતભાવે આપવામાં આવતા યુરિયા ખાતરનો કાળાબજાર કરવાનો…

વિરપરમા દેશી દારૂનું કારખાનું ઝડપાયુ

ઢુવા અને ગાત્રાળનગર પાસેથી દારૂ સાથે બે આરોપીની ધરપકડ વિરપર ગામની સીમમાં મોટાપ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂના કારખાના જેવી ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 23,980નો મુદ્દામાલ કબ્જે કરી એકને…

દિગ્વીજયનગરમાં ગાળો બોલવાની ના પાડતા દલિત યુવક પર હુમલો

રાજકોટ તા.1 :વાંકાનેરમાં દિગ્વીજયનગરમાં રહેતાં જગદીશભાઈ જેરામભાઈ વોરા (ઉ.40) ગત બપોરે ઘર પાસે હતા ત્યારે શેરીમાં ગાળો બોલતા તેના કાકા રતિ ગોવિંદ વોરા અને પિતરાઈ ભાઈઓ રમેશ હરી અને પરસોતમ હરીને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોને ઝઘડો કરી…

પાંચદ્વારકા: જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત જશ્ને રિદાપોશી અને ખત્મે બુખારીનો આજે પ્રોગ્રામ

  વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત મદરેસામાં રિદાપોશી અને ખત્મે બુખારીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ બચ્ચીઓને આલમીય્યતની સનદ અને રિદાપોશી કરવામાં આવશે. પ્રોગામની વિગત સાથેના પેમ્પલેટમાં આપેલ છે.  પ્રોગ્રામ NB ચેનલ પરથી 10-30 થી લાઈવ થશે.

ટંકારા લોહાણા મહાજન સમાજ વાડીમાં રવિવારે આયુષ મેળો યોજાશે

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત મોરબી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૦૫ માર્ચને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૩ કલાક સુધી શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કન્યા શાળા બાજુમાં દેરીનાકા મેઈન રોડ ટંકારા ખાતે આયુષ મેળો યોજાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!