કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ

મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના * CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર  વઘાસીયા પ્રાથમિક…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે.. શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન…

સપ્ટેમ્બરના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ…

મધ્યાહ્ન ભોજનના મેનુમાં ફેરફાર થયો

સપ્તાહમાં 5 દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા…

ખીજડીયામાં જશ્ને ઈદે મીલાદુન્નબીનો પ્રોગ્રામ

વાંકાનેર: જશ્ને ઈદે મીલાદુન્નબીના મૌકા પર આગામી નવ તારીખ સોમવારે ઈશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ તાલુકાના ખીજડીયારાજ મુકામે તવાફ મસાલા, ઘીયાવડ રોડ ખાતે સુન્ની મુસ્લીમ જમાત અને નિસ્બતે રસુલ કમીટી (ખીજડીયા રાજ) તરફથી આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રોગ્રામમાં…

મહારાજકુમાર લિખિત પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન

વાંકાનેર: અહીંના રાજવી પરિવારના મહારાજકુમાર શ્રી ડો. એમ.કે રણજીતસિંહજી સાહેબનું પર્વતિય પ્રાણીઓ પરના પુસ્તકનું વિમોચન પદ્મવિભૂષણ ડો. કર્ણસિંહજી સાહેબના હાથે તેમ જ આ પુસ્તકની પ્રસ્તાવના બૌધ્ધ ધર્મના પવિત્ર ધર્મ ગુરૂ દલાઇલામા દ્વારા કરવામાં આવેલી છે !

લીંબાળા દરગાહે આજે 19 મી શરીફ મુબારક

અસરની નમાઝ બાદ પ્રોગ્રામ વાંકાનેર: આજે 19 સફર ઉલ મુઝફ્ફર બ મુતાબીક 25/8/2024 રવિવારના રોઝ અસરની નમાઝ બાદ હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા સાહેબ રહમતુલ્લાહિ અલયહની દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની અને બાદ શજરા શરીફ પઢવામાં આવશે, બાદ સલામ…

હજ દરમ્યાન પતિ-પત્ની એક રૂમમાં નહીં રહી શકે

નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે…

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!