કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો…

પોક્સોના ગુનાના આરોપીને જામીન મળ્યા

વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપીએ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટ મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે. જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ…

યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી

સસ્પેન્સ યથાવત આગાહી કરવી જોખમથી ભરપૂર વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી છે. આવતી કાલે બાર વાગ્યા પછી ચૂંટણી અધિકારીની રૂબરૂ ઉમેદવારો ફોર્મ ભરશે, મતદાન થશે અને પછી પરિણાંમ પણ કાલે જ જાહેર થઇ જશે. ખેડૂત મત વિભાગના 10,…

જેતપરડાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેર સીટી પોલીસ…

સ્વામીના વિડીયો સામે માટેલધામનો વિરોધ

ખોડિયાર માતાજીને સંબોધીને ટિપ્પણીઓ કરવામાં આવી વાંકાનેર: સોશિયલ મીડિયામાં સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ખોડિયાર માતાજી તેમજ અન્ય કુળદેવી વિશે ટિપ્પણી કરી રહ્યા છે. જેની સામે ખોડિયાર માતાજી મંદિરના મહંતે વિરોધ નોંધાવ્યો છે. મીડિયા અહેવાલો…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

ગઢીચા હનુમાન ખાતે આજે ત્રિવેણી કાર્યક્રમ

વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ શ્રદ્ધાળુઓને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ૧૦૦૮…

નાના જડેશ્વરે સોમવારે ભવાઈનો કાર્યક્રમ

સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે વાંકાનેર: હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે નાના જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે. મોરબી જિલ્લાના નાના જડેશ્વર મુકામે દાદા સદાશિવ મહાદેવના પ્રાંગણમાં ગાયોના ઘાસચારાના લાભાર્થે…

તાલુકા પંચાયતનું રાજકારણ ફરી ડહોળાયું

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડનો સામાન્ય સ્ત્રી અનામત હોઈ એ શ્રેણીનું નામનો આગ્રહ રખાયો વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારોની આવનારી ચૂંટણીમાં ભાજપની ચોખ્ખી બહુમતી હોવા છતાં જૂથબંધીના કારણે રાજકારણ ચકડોળે ચડયું છે. ભાજપના નિરીક્ષક ભરતભાઈ બોઘરાએ કુલ પાંચ નામ ઉમેદવાર તરીકે રાજ્ય…

સૌરાષ્ટ્રમાં સવારે સવાચારે ભુકંપના આંચકા

કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો…

Content Copying Forbidden !!

error: Content is protected !!