કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ગોલ્ડ મેડલ મેળવતી વાંકાનેરની અક્ષિતા ઉપાધ્યાય

વાંકાનેરને ગૌરવ અપાવતી એડવોકેટ પુત્રી વાંકાનેર: મુળ વાંકાનેરના વતની અને એડવોકેટ એન્ડ નોટરીનો વ્યવસાય સાથે જોડાયેલા કપિલભાઈ વી. ઉપાધ્યાયની દિકરી કું. અક્ષિતા ઉપાધ્યાયે તાજેતરમાં રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ. (ઈંગ્લીશ)ની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી કુ.અક્ષિતા ઉપાધ્યાયે…

મહિકાના ડોક્ટર પર અમદાવાદમાં છરીથી હુમલો

દર્દીને ઈજા હોવાથી પોલીસ કેસનો મામલો છે અને સર્જન નહીં હોવાનું કહી સારવારની ના પાડી હતી વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં રહેતા ખેડુતપુત્ર કે જે અમદાવાદમાં એક હોસ્પિટલમાં નોકરી કરે છે, તેની પર છરીથી હુમલો થયાનો બનાવ ગત રવિવારે બન્યાનું…

સહકારી કર્મચારીઓના તાલીમ વર્ગની પૂર્ણાહૂતી

અમરસર ફાટક પાસે સહકારી મંડળીઓના કર્મચારીઓ માટે ૨૮ દિવસનો કાર્યક્રમ હતો વાંકાનેર: ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ, તાલિમ અને પ્રચારની યોજના અન્વયે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રી શીત કેન્દ્ર, અમરસર ફાટક પાસે, વાંકાનેર મુકામે વાંકાનેર તાલુકાની સહકારી મંડળીઓના…

પાલિકા સભ્યને કેટલી ગ્રાન્ટ? ક્યા કામ કરવાના?

વાંકાનેર: સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોને ફાળવવામાં આવે છે, એવી કોઈ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વૉર્ડદીઠ ફાળવવામાં નથી આવતી. નગરપાલિકામાં કરવાનાં થતાં કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે…નગરપાલિકામાં જે-તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે, તે પછી કારોબારી સમિતિ…

પીપળીયારાજ ગામે હાફિઝ થયેલાનું સન્માન કરાયું

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાંથી હાફીજ બની ફારીગ થતા માથકિયા બશીરભાઈ હુસેનભાઇના પુત્ર હાફિઝ વસીમરઝા બશીરભાઈ માથકિયાને સનદ (ડિગ્રી) મળતા તેઓનુ સન્માન ફૂલહાર ગિફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું… આમ હાફિઝ થવું તે નશીબદાર હોય તેને જ…

પીપળિયારાજ ખાતે દસ્તારબંધી/ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દારૂલ ઉલૂમ ગૌસે સમદાની ખાતે ગતરાત્રિના ભવ્ય દસ્તારબંધી તેમજ ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 95 વિદ્યાર્થીઓને સનદ(ડિગ્રી) એનાયત કરવામાં આવી હતી, જેમાં સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા…

વાંકાનેરમાં કોના વાંકે પેન્શન અટક્યા?

વાંકાનેર: અહીંના મામલતદાર કે.વી. સાનિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના સહાય શાખામાં પત્ર લખીને 102 વૃદ્ધોના પેન્શન ફરી શરૂ કરવા જણાવાયું છે… મહત્વની વાત એ છે કે, વાંકાનેર તાલુકાના 102 જેટલા પેન્શનના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવી ન હોવાથી તેઓનું પેન્શન બંધ…

વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત કેમ્પ યોજાયો

વાંકાનેર: હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી…

મતદાનના 48 કલાક પૂર્વે પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું

સંગીતનો જલસો કે સમુહ ભોજન યોજવા પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનની તા.16 ના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી થનાર છે.તેથી મતદાન…

પાલિકામાં 13 બિનહરીફ: 15 બેઠક માટે ચૂંટણી

વાંકાનેર: નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના આજે છેલ્લા દિવસે ફોર્મ પાછા ખેંચાતા 13 ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે. જેમના નામ નીચે મુજબ છે જેમાં 1 કોંગ્રેસના, 1 બસપાના અને 11 ભાજપના છે…. બિનહરીફ વોર્ડ નંબર: એક 1 રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!