કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

દીઘલિયા શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૦૩/૦૪/૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને…

મકતાનપર રોડના નવીનીકરણમાં લોટ-પાણીને લાકડા

વાંકાનેર: તાલુકામાં ચાલતા રોડના કામોમાં લોટ-પાણીને લાકડા ની યુક્તિ મુજબ કામ કરી કોન્ટ્રાકટર બિલ લઇ જતા રહે છે, પાછળથી નબળા કામોના કારણે તૂટેલા રોડના કારણે સ્થાનિક લોકોને ભગવવાનું આવે છે, તાલુકાનાં મકતાનપર ગામ ખાતે મોરબી જિલ્લા પંચાયત હસ્તક ડામર રોડના…

અમરસર ગામે ICDS નો બહેનો માટે કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત…

ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ જશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734…

મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે પ્રસાદી લેવા આમંત્રણ

વાંકાનેર: સેવાકાર્ય સાથે સંકળાયેલ વાંકાનેર નું એક ખાસ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકાની અને શહેરની પ્રેમાળ જનતાને તા. 10/04/2025 ને ગુરુવારના રોજ મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી લાડુની પ્રભાવના (પ્રસાદી) નો…

ધારાસભ્યશ્રી જીતુભાઇ ! તમને આ શોભતું નથી

દિનપ્રતિદિન સત્તાપક્ષના આગેવાનો દ્વારા જાહેરમાં લોકશાહીનું ચીરહરણ કરતાં બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેરમાં ભાજપનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકાની અણઘડ કામગીરી બાબતે જનતાના પ્રશ્નોને વાચા આપતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર સાથે…

મોરબી જિલ્લામાંથી 2 PSI ની અન્યત્ર કરાઈ બદલી

બહારના જિલ્લામાંથી 4 PSI મોરબી જિલ્લામાં મુકાયા રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, ગઈ કાલ 8 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી…

પોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન

ટિકિટોનું બુકિંગ આજથી જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન…

આવતા જુમેરાતે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા…

વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર: માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા.૦૬/૦૪/૨૦૨૫, રવિવારના રોજ જિતેન્દ્રભાઈ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, દર્શનાબેન…

Content Copying Forbidden !!

error: Content is protected !!