કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રાજાવડલાના લોકપ્રશ્નોથી વાકેફ થતા ધારાસભ્યશ્રી

વાંકીયા, પંચાસીયા બાદ રાજાવડલા ગામે પહોંચ્યા રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે અણઉકેલ પ્રશ્નો હલ કરવા આગેવાનોને ખાત્રી વાંકાનેર: વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટીમ દ્વારા તાલુકા ગ્રામ્ય પ્રજાની પાયાની સુવિધા સહિત પ્રજાને પડતી મુશ્કેલીની જાત…

ટ્રકની ખરીદી કરીને રૂપિયા ન આપ્યા !

વાંકાનેરના મહીકા ગામના યુવાન સાથેનો બનાવ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને તેની માલિકીનો ટ્રક જે શખ્સને વેચ્યો હતો, તેણે અડધી રકમ આપ્યા બાદ બાકીની અડધી રકમ આપી ન હતી. જેથી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા…

એક યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

પેટ્રોલ ભરાવવા જતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ પાઇપ માર્યા વાંકાનેરના જીનપરા મેઇન રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને ચાલીને પેટ્રોલ ભરવા માટે યુવાન જતો હતો, ત્યારે યુવાનને આંતરીને ચાર શખ્સો દ્વારા તેને ઝાપટો મારીને લોખંડના પાઇપ વડે માથા…

રાજકોટ રોડ ઉપરથી જુગાર રમતા ઝડપાયા

વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ગોકુળનગર પાછળ મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયેશભાઈ માત્રાભાઈ બાંભવા (૨૮), પરબતભાઈ જીવણભાઈ બાંભવા (૨૪) અને જગદીશભાઈ નાજાભાઇ ગોહેલ (૩૯) રહે. બધા…

વાંકાનેરમાં પીણાં-પાણી વિતરકો દંડાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા વાંકાનેર: મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટના નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા…

ઢુવા ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં પરપ્રાંતીય બે શખ્સોને ઇજા થવા પામી છે. જેમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ગીનાભાઈ ઇન્દરસિંહ દાવલ (૩૫) અને સંકરસિંગ કલજા ભુરીયા (૪૦) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને…

બેટરીમાં નાખવાનું પાણી પી ગયો યુવાન

વાંકાનેર તાલુકાના ગામડામાં રહેતો યુવાન બેટરીમાં નાખવાનું પાણી પી ગયાનું જાણવા મળેલ છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના ઓળ ગામે રહેતો અનિલભાઈ ભનુભાઈ કેરવાડીયા (૨૫) નામનો યુવાન ઓળ ગામે હતો, ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બેટરીમાં નાખવાનું પ્રવાહી પી ગયો હતો.…

ક્ષત્રિય સમાજ દ્વારા કેશરીદેવસિંહ ઝાલાનું સન્માન

વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં ગઇકાલે જ્યોતિ સિરામિક ખાતે તેમનો ભવ્યાતિભવ્ય સન્માન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સમાજ-સંગઠનના હોદ્દેદારો તથા…

વાંકાનેર રાજના કુંવર-કુંવરીઓ કયાં પરણેલા?

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા. – રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે…

વાહન સાથે એક્ટિવા અથડાતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રસિકગઢ નજીક અજાણ્યા વાહનના ઠાઠા સાથે અથડાતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. મળેલ માહિતી મુજબ આ બનાવ વાંકાનેર જીનપરામાં રહેતા ભરતભાઇ ઉર્ફે સચિનભાઈ નાનજીભાઈ જીંજવાડિયા ઉ.25 નામના યુવાન સાથે બન્યો છે. યુવાનનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!