કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેરમાં બે ગુન્હેગારના દબાણ તોડી પડાયા

10 લાખની જમીન દબાણ મુક્ત વાંકાનેર: સીટીમાં શરીર સંબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે શખ્સ દ્વારા સરકારી જમીન ઉપર જુદીજુદી જગ્યાએ દબાણ કર્યું હતું જેથી પાલિકા અને રેવન્યુ વિભાગ સાથે સંકલન કરીને ગઈ કાલે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કુલ…

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

વાંકાનેરથી અજમેર જવા-આવવા માટેનું ટ્રેનનું ટાઈમ ટેબલ વાંકાનેર: અત્રે સૌરાષ્ટ્રમાંથી અજમેર જવા માટે પોરબંદર અને ઓખાથી આવતી અઠવાડિયામાં ચાર ટ્રેનો મળે છે, અજમેર મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે, દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે, પોરબંદર અને ઓખાથી ઉપડતી…

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

વિસીપરાથી રામટેકરી અને ભીમગુડા એપ્રોચ રોડનો સમાવેશ ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયામાં અવેડા બનશે વાંકાનેર: વિસીપરાથી રામટેકરી રોડ અને પાડધરા – મકતાનપર રોડને જોડતા ભીમગુડા એપ્રોચ રોડ તથા ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયામાં અવેડા બનાવવાના કામના ટેન્ડર બહાર પડયા છે,…

લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈનો આજે જન્મ દિવસ

કાકુભાઈ મોદીનો 76 પુરા કરી 77 માં વર્ષમાં પ્રવેશ વાંકાનેર: મુળ દેવભૂમિ દ્વારકાના લાંબા ગામના વતની અને વર્ષોથી વાંકાનેરને તેની કર્મભુમી બનાવી વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ પદને શોભાવતા કાકુભાઈ આણંદજીભાઈ મોદીનો આજે જન્મ દિવસ છે. તેઓએ જીવનના 76 વર્ષ પુરા…

સહયોગ વિદ્યાલય સ્વરાજ ડેરીની મુલાકાતે

મોટિવેશનલ પ્રવચન સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈ શેરસિયાએ આપ્યું વાંકાનેર: ગત તારીખ 5 ડિસેમ્બર 25 ના રોજ સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, પીપળીયારાજ (તા: વાંકાનેર) ના પ્લાન્ટની શૈક્ષણિક મુલાકાત માટે સહયોગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પધાર્યા હતાં શિક્ષણના ભાગ રૂપે આવેલા વિદ્યાર્થીઓ તથા…

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

અજમેર પછી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા ડાયવર્ટ કરેલા રૂટ પર જશે રાજકોટ: ઉત્તર પશ્ચિમ રેલ્વે ના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનો નીચે મુજબ છેઃ આંશિક રીતે…

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

અરજી કરવા આવતી કાલ છેલ્લો દિવસ ક્ષતિ સુધારવા કાગળો વીસીઇ/ગ્રામસેવક કે ત. ક. મંત્રીને પહોંચાડવા અનુરોધ ઓક્ટોબર માસમાં થયેલા વરસાદના કારણે નુકસાન પામેલ ખેતી પાકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિરાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની…

દિઘલીયા- શેખરડી રસ્તાનું રીસર્ફેસિંગ પૂર્ણ: મંગલ ભયો

વાંકાનેર: મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેર તાલુકામાં દિઘલીયા- શેખરડીના 3.5 કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. 120 લાખના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ…

વાંકાનેરમાં વધુ એક વિકાસ કામનો પ્રારંભ

રાતીદેવરી રોડથી રાજકોટ રોડને જોડતા અઢી કી.મી. રોડનું રીફ્રેસરિંગ વાંકાનેર: ધારાસભ્યના હસ્તે શહેરમાં વધુ એક વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, રાતીદેવરી રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપથી ઠેઠ રાજકોટ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર સુધીના આ રસ્તાનું રીફ્રેસરિંગ કામનો…

વાંકાનેર વિસ્તારમાં SIR ની ૮૬.૯૭ ટકા કામગીરી

ટંકારા ધારાસભા વિસ્તારની ૯૧.૩૩ ટકા કામગીરી પૂર્ણ થઈ વાંકાનેર: વાંકાનેર સહિત રાજ્યભરમાં તા.૪ નવેમ્બરથી શરૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણીતંત્રના સત્તાવાર આંકડા મુજબ વાંકાનેર બેઠક વિસ્તારમાં ૨,૯૫,૬૧૨ મતદારો પૈકી ૨,૫૭,૧૦૩ મતદારોના ફોર્મનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!